Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનસિક તણાવમાં રહેતી પરણિતાએ કુવામાં કુદી જીવન ટુંકાવ્યું

  • July 11, 2022 

સુરતનાં મહુવા ખાતે રહેતી પરિણીતાએ કૂવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જોકે છેલ્લા 6 મહિનાથી તે તેના પિયરમાં જ રહેતી હોય માનસિક તણાવમાં હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતું.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામના સાંકડાસર ગામના અને હાલ મહુવાના વાડી ફળિયામાં રહેતા મહેશભાઈ આણંદભાઈ ધંધુકિયાની નાની બેન સોનલ (ઉ.વર્ષ 22)નાં લગ્ન ત્રણ વર્ષ અગાઉ પાલિતાણાનાં તળાવ ફળિયામાં રહેતા શૈલેષ રમેશ પીપળીયા સાથે થયા હતા અને તેઓ કામરેજની હરિકૃષ્ના સોસાયટીમાં ભાડેથી રહે છે.




જોકે સોનલ જિદ્દી સ્વભાવની હોય પતિ સાથે વારંવાર ઝઘડો થતો હતો. જેથી 6 માસ પૂર્વે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિ શૈલેષ તેને તેના પિયર મહુવા મૂકી આવ્યો હતો. ત્યારબાદથી સોનલ તેના માત-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. જોકે ગત તા.7મી જુલાઈની રાત્રે આઠેક વાગ્યાનાં સુમારે સોનલ ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી.




તેમજ શોધખોળ છતાં પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. તે દરમિયાન બીજા દિવસે સવારે સવા નવ વાગ્યે ફળિયામાં રહેતા શંકરભાઈ નારણભાઈ તેમના ખેતરે જતાં તેમને દુર્ગંધ આવી હતી. આથી ખેતરમાં આવેલા કૂવામાં તપાસ કરતાં કૂવામાં મહિલાની લાશ તરી રહી હતી. આથી સોનલનાં પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતા અને લાશ બહાર કાઢતા તે સોનલની જ હોવાની ઓળખ થઈ હતી.




ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, સોનલ માનસિક રીતે પડી ભાંગી હતી આથી તેણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. બનાવ અંગે પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application