Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લિંબાયતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત, પરિવારમાં ગમગીન છવાઈ

  • January 05, 2023 

સુરતનાં લિંબાયત વિસ્તારમાં ઉંઘમાં ચાલતા ચાલતા ત્રીજા માળની બારીમાંથી અકસ્માતે નીચે પટકાતા એક કિશોરનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ થતા મૃતદેહ પરત સ્મીમેર હોસ્પિટલ લઈ આવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, લિંબાયત અંબાનગર ખાતે રહેતા એઝીઝ પઠાણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 17 વર્ષીય પુત્ર શેહબાઝ બોબીનના ફીરકાના કારખાનામાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતો હતો. શેહબાઝને ઉંઘમાં ચાલવાની બીમારી હતી.




જેથી મંગળવારે મોડી રાત્રે શેહબાઝ ત્રીજા માળે ઘરમાં સુતો હતો. ત્યારે ઉંઘમાં ચાલતા ચાલતા બારી પાસે પહોંચી ગયો હતો અને અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. શેહબાઝની ચીસ સાંભળી પરિવારના સભ્યો નીચે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા શેહબાઝને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. જોકે શેહબાઝનું મોત નિપજ્યું હોવાનું તેના પરિવારના સભ્યો માનવા તૈયાર ન હતા અને તેઓ શેહબાઝને બળજબરીપૂર્વક અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પણ તેને મૃત જાહેર કરાયો હતો. બનાવની જાણ થતા લિંબાયત પોલીસે હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શેહબાઝનો મૃતદેહ પરત સ્મીમેર હોસ્પિટલ લઈ જઈ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application