Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરણિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી

  • June 14, 2022 

ઓલપાડ તાલુકાનાં માઘર ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીનાં રૂમમાં એક ઉત્તરપ્રદેશ વાસી પરણિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ શંકાસ્પદ મોત મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જાણવા મળેલ વિગત મુજબ, રાજકુમાર ખ્યાલીરામ કુશવાહ અને તેની પત્ની સાધના (ઉ.વ.23) મુળ ઉત્તરપ્રદેશ રાજ્યનાં હાથરસ જિલ્લાનાં વતની છે. જયારે આ દંપતિ હાલમાં સિવાણ-ભારૂંડી રોડ ઉપર માધર ગામની સીમમાં પ્લોટ નં-45 થી 48માં આવેલ મુજાણી ફેબટેક્ષ પ્રા.લી.ફેકટરીના રૂમમાં રહી મજૂરી કામ કરતા હતા.



જયારે પતિએ પોલીસને બનાવ અંગે જાણ કર્યા મુજબ, બંન્ને પતિ-પત્ની વચ્ચે શાકભાજી સમારવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેથી સાધનાને માઠું લાગી આવતા તેણે મારી સાથે બોલવાનું બંધ કરી અબોલા લીધા હતા અને તેને દુ:ખ લાગતા તેણે ગત તા.12 નારોજ જયારે સાધના કુશવાહ રૂમમાં એકલી જ હતી સમયે સવારે 8થી સાંજે-6 કલાકના હરકોઈ સમયે તેણીએ ફેકટરીના રૂમમાં બારીના સળીયા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જયારે મૃતકના પતિ રાજકુમાર ખ્યાલીરામ કુશવાહાએ સાયણ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે મૃતક મહિલાની લાશનો કબજો લઈ પીએમ કરાવી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application