Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NRIનાં બંધ ઘરમાં તસ્કરોએ કબાટો ખોલી સામાન વેરવિખેર કરી ફરાર

  • June 12, 2022 

બારડોલી તાલુકાનાં મોરી ઉછરેલ ગામે શુક્રવારનાં રોજ રાત્રીનાં સમયે તસ્કરોએ એક NRIનાં બંધ ઘરમાં હાથ અજમાવ્યો હતો. જોકે ઘરમાં કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન હોય જેથી તેઓ કંઈ લઈ જવામાં સફળ રહ્યા ન હતાં. જયારે ચોરીની ઘટનાથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. બનાવની વિગત એવી છે કે, બારડોલીનાં મોરી ઉછરેલ ગામે આવેલ પટેલ ફળિયામાં સુમિત્રાબેન વસંતભાઈ પટેલ જેઓનું ઘર આવેલ છે. તેઓ ઘર બંધ કરીને વિદેશમાં સ્થાયી થયા છે. જોકે મોડી રાત્રે તસ્કરોએ સુમિત્રાબેનનાં ઘરનો મુખ્ય દરવાજાનો અડાગરો તોડી ઘરમાં ઘૂસ્યા હતાં.



જેમાં ઘરમાં મુકેલ કબાટો ખોલી સામાન વેરવિખેર કરી દીધા હતાં. પંરતુ તસ્કરોને કોઈ કિંમતી વસ્તુ હાથ લાગ્યુ ના હતુ. કબાટની તિજોરી અને ખાનાઓ ખોલી સામાન વેરવિખેર કર્યો હતો. જ્યારે કપડા તથા અન્ય સામાનને હાથ પણ લગાવ્યો ન હતો. જેથી તસ્કરોએ ખાલી હાથ ફરત ફરવું પડ્યું હતું. સુમિત્રાબેન વિદેશમાં હોય અને કોઈ કિંમતી વસ્તુની ચોરી ન થઈ હોવાથી પોલીસ ફરિયાદ કરી નથી. પરંતુ ચોરીની ઘટના બનતાં ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application