Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંદિરમાંથી પીત્તળની ઘંટડી અને દાનપેટીની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • June 12, 2022 

સુરતનાં મોટા વરાછાનાં ખળી ફળીયામાં આવેલા આંકડીયા હનુમાનજી મંદિરમાં રાત્રે ત્રાટકેલા તસ્કરો પીત્તળની ઘંટડી અને દાનપેટીની ચોરી કરીને ભાગી ગયા હતા. જોકે પોલીસ તપાસમાં ઘંટડી અને દાનપેટી મોટા વરાછાનાં ભંગાર વાળાને ત્યાંથી મળી આવતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટા વરાછાનાં ખળી ફળીયામાં આવેલા આંકડીયા હનુમાનજી મંદિરમાં રાત્રે ચોર ત્રાટકયા હતા. જોકે ચોર મંદિરની પીત્તળની ઘંટડી અને દાનપેટી કે જેમાં અંદાજે 4 થી 5 હજાર રૂપિયા હતા તે ચોરીને ભાગી ગયા હતા.



જયારે મંદિરના સંચાલક રાકેશ મનહર પટેલ (રહે.ખરી ફળીયું, રામ ચોક, મોટા વરાછા) સવારે દર્શન કરવા માટે ગયા ત્યારે ઘંટડી અને દાનપેટી નજરે નહીં પડતા પૂજારી મણીલાલ ચૌધરીની પૂછપરચ કરી હતી. પરંતુ તેઓ પણ ચોરી થયા અંગેની બાબતથી અજાણ હતા. જેથી ઘટના અંગે મંદિરના સંચાલક રાકેશ પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તપાસ અંતર્ગત પોલીસને મોટા વરાછા વિસ્તારમાં ભંગારનો ધંધો કરનારને ત્યાંથી પીત્તળની ઘંટડી અને દાનપેટી મળી આવતા ભંગારના વેપારીની પૂછપરછ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application