Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુગર ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ગયેલા પાંચ મજૂરો ગૂંગળાયા જતાં એકનું મોત

  • June 23, 2022 

બારડોલી સુગર ફેક્ટરીમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા પાંચ મજૂરો ગૂંગળાય જતાં તેમને બેભાન હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હાલ તમામની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,બારડોલી તાલુકાનાં બાબેન ગામના 12 ગાળા ફળિયામાં રહેતા હેનિલ સંજય રાઠોડ (ઉ.વ.15), કરણ કિશોર રાઠોડ (ઉ.વ.21), સંતોષ ડાહ્યા હળપતિ (ઉ.વ.32), સાવન રમેશ રાઠોડ (ઉ.વ.18) અને સંજય દિનેશ નાયકા (ઉ.વ.29) મંગળવારનાં રોજ બાબેન ગામની સીમમાં આવેલી બારડોલી સુગર ફેક્ટરીની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સફાઈ માટે ગયા હતા.




જેમાં ટાંકીમાંથી મોટર વડે પાણી બહાર કાઢી ટાંકીની સફાઈ કરવા માટે સંજય, કરણ અને સાવન અંદર ઉતર્યા હતા. તે સમયે પાણીની ટાંકીમાં રહેલા ગંદા પાણીની ખરાબ વાસ તેમજ ગરમીના કરને ત્રણેયનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો તેમજ આંખે બળતરા થયા બાદ તેઓ બેભાન થઈને નીચે પડ્યા હતા.



ત્યારબાદ હેનિલ અને સંતોષ પણ તેમને બચાવવા નીચે ઉતરતા તે બંને પણ બેભાન થઈ જતાં આજુબાજુનાં લોકોએ બૂમાબૂમ કરતાં સહકર્મીઓએ બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હેનિલ સંજય રાઠોડનું સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બારડોલી ટાઉન પોલીસે સંજયની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application