Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં વેલણપુર ગામે માનસિક રીતે બીમાર શખ્સનું નદીમાં પડી જતાં મોત

  • September 01, 2022 

સુરતનાં મહુવા તાલુકાનાં વેલણપુર ગામે આહીર ફળિયામાં રહેતા નિલેશભાઈ બાબુભાઇ નાયકા (ઉ.વ.45) નાઓ જેઓ માનસિક રીતે બીમાર હતા અને તેઓ ઘરે કહ્યા વિના ક્યાંક જતા રહેવાની ટેવ ધરાવતા હતા અને તેઓ શુ બોલે છે તેઓનું પણ તેમને ભાન રહેતું ન હતું.




આમ બીમારીથી કંટાળીને નિલેશભાઈએ વેલણપુર ગામે અંબિકા નદી ઉપર બનાવેલ નહેરવાળા પુલ નીચે અંબિકા નદીના કિનારા પર કુદી પડતા બંને પગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકમાં પિતા બાબુભાઇ નાયકા નાઓએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application