Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં નૌગામામાં પત્નીનાં વિહરમાં પતિનો આપઘાત

  • June 15, 2024 

માંડવીનાં નૌગામા ગામે એક મહિના પહેલા પત્નીનું અવસાન થતા તણાવમાં રહેતા પતિએ ઝેરી દવા પી આત્માહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં નગામા ગામે મંદિર ફળિયામાં રહેતા રાકેશભાઈ વલ્લભભાઈ પટેલ (ઉ.વ.45)ની પત્ની નેહાબેનનું એકાદ મહિના પહેલા અવસાન થયું હતું. જેના કારણે રાકેશભાઈ સતત તણાવમાં રહેતા હતા. જેથી તેઓએ ગત તારીખ 04/06/2024નાં રોજ સાંજે 5 વાગ્યા અરસામાં તે ઘરેથી તેની બાઈક લઈને બહાર ગયા હતા. તેઓ સાંજે 6 વાગ્યે તે ઝેરી દવા પીધેલી હાલતમાં તેના ઘરે પહોચતા પરિવારજનો તેને તાત્કાલિક તડકેશ્વરની શીફા હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું બીજા દિવસે મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application