Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કડોદ નજીકનો હરીપુરા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો

  • September 14, 2022 

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 97 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી તાપી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેને પગલે બારડોલી તાલુકાનાં કડોદ નજીક આવેલ હરીપુરા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.




જોકે ચોમાસાની સિઝનમાં વારંવાર રસ્તો બંધ થતો હોય નદીને સામે પાર આવેલા માંડવી તાલુકા 14થી વધુ ગામોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી કોઝવે ઉપર થી પસાર થવા લાગતા સુરત જિલ્લા કલેક્ટરે કોઝવે પરથી અવર જવર ન કરવાની સુચના વહેતી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.




ઉલ્લેખનીય છે કે, હરીપુરા કોઝવે પર દર ચોમાસે વારંવાર પાણી ફરી વળતા હોય કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના 14થી વધુ ગામોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. કોઝવે ડૂબી જતા વિસ્તારના ગામોએ 25 કિલોમીટરથી વધુનો ચકરાવો લગાવવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિક લોકોની ઉંચો પુલ બનવાની માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News