Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : પતિ-પત્નિ વચ્ચેનાં ઝગડામાં પત્નિને માઠું લાગી આવતાં ઉંદર મારવાની દવા પી લેતાં સારવાર દરમિયાન મોત

  • September 07, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં કુદસદ ગામેં રણછોડ નગરમાં મકાન નંબર 49 માં રહેતા અરવિંદસિંહ ઉમેદસિંહ ચૌહણ (મૂળ રાજસ્થાનના રાજસમદ જિલ્લાના) જેઓ ગત તા.29 ઓગસ્ટનાં રોજ દુકાન બંધ કરી જલ્દી ઘરે આવી જતા આ બાબતે તેમની પત્ની મીનાકુંવર સાથે ઝગડો થઈ જતા મીનાકુંવરે ઘરમાં પડેલી ઉંદર મારવાની દવા પી લઈ પોતામાં ધાબા પર ગઈ સુઈ ગઈ હતી.




ત્યારબાદ ઘરમાં એકાએક મીનાકુંવર ઘરમાં નહિ મળી આવતા પરિવારે શોધખોળ કરી હતી મીનાકુંવર ધાબા પરથી મળી આવતા તમેને તત્કાલિક કિંમની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જે બાદ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તા.5 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કિમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application