Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદે બાંધકામોને દુર કરવા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી

  • June 23, 2022 

સુરતનાં  કામરેજ ચાર રસ્તા ઉપર સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (સુડા) અને સુરત મહાનગર પાલિકા (SMC) દ્રારા ગતરોજ ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લાં ઘણા સમયથી કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામોની ફરિયાદ આવતી હતી જેના પગલે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સુરતમાં કામરેજ ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા કરવા તેમજ મળતી ફરિયાદ અંગે પગલાં ભરતા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



જોકે ગતરોજ વહેલી સવારથી ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઉપર અધિકારીઓએ હથોડો ઝીંકયો હતો અને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કામરેજ ચાર રસ્તાથી સુરત જતા માર્ગ પર આવેલ તાલુકા પંચાયતની બાજુમાં પ્રથમ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરીમાં SMC પણ ડીમોલેશન કામગીરીમાં જોડાઈ હતી અને રોડ ઉપર ઊભા રહેતા લારી ગલ્લા ઉઠાવાયા હતા.



ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સૂડા દ્વારા કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જયારે સવારથી શરૂ કરાયેલ પ્રક્રિયામાં 30થી વધુ લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યાં હતાં અને 1 શોપિંગ સેન્ટરનું ડીમોલેશન કરવામાં આવ્યુ છે. ડીમોલેશનની કામગીરીમાં સુડાનાં અધિકારીઓ જોડાયા હતા. સુડાના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટર ઇન્દ્રબાલા યુ.કુમારની આગેવાનીમાં ડીમોલેશન કામગીરી શરુ કરવામાં આવી છે. આ ડીમોલેશન માટે કેટલાક સ્થાનિકો વિરોધ પણ નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application