Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડનાં છીણી ગામે ખાટલો ખાલી કરવા બાબતે બે ભાઈઓ વચ્ચેની તકરારમાં એકનું મોત નિપજ્યું

  • July 18, 2024 

ઓલપાડ તાલુકાનાં છીણી ગામે ખાટલો ખાલી કરવા બાબતે બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી. જોકે આ તકરારમાં એક ભાઈએ ઘરની બારીનાં કાચ ઉપર પોતાની જાતે મુક્કો મારી ઇજા પહોંચી, તેનું હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છીણી ગામે ધનશેર ફળિયામાં ચિરાગ કિશોરભાઈ પટેલ (ઉ.વ.24) તેના પરિવાર સાથે રહી ખેતી કરતો હતો. ગત તારીખ 15નાં રોજ ચિરાગ પટેલ તેના ઘરની રૂમમાં ખાટલા ઉપર સૂતો હતો..


ત્યારે તેના ભાઈ પીયૂષે ચિરાગને ખાટલો ખાલી કરવાનું કહેતા બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી ચિરાગ પટેલને મનમાં ખોટું લાગી આવતા તેણે રાત્રે ગુસ્સામાં આવી જઈ પોતાના જમણા હાથનો મુક્કો ઘરની કાચની બારીમાં મારી દીધો હતો. જેથી તેના જમણા હાથે કોણીના ભાગે ગંભીર ઈજા થવાથી હાથમાંથી વધુ પડતું લોહી નીકળી વહી જતા તે બેભાન થઈ ગયો હતો. જેના પગલે ચિરાગને સારવાર અર્થે બેભાન હાલતમાં સુરત શહેરના રામનગરની ખાનગી હોસ્પિટલના આય.સી.યુ. વોર્ડમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ચિરાગ પટેલનું ગત તારીખ 16નાં રોજ સાંજે મોત થયું હતું. આ બાબતે પંકજભાઈ ગોરધનભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application