Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : નાર્કોટિક્સનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • September 26, 2022 

સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સ અંગેના ગુન્હાઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે  SOG શાખાના પોલીસ ઇન્સ્પેકટરનાં માર્ગદર્શન હેઠળ PSI પોતાની ટીમ સાથે કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, કડોદરા જીઆઈડીસી પોલીસ મથકનાં નાર્કોટિક્સનાં ગુન્હામાં નાસતો ફરતો આરોપી શારદાપ્રસાદ ઉર્ફે પંડિત રમાકાંત મિશ્રા અકળામુખી હનુમાનજી મંદિરે ઉભો છે.




જે બાતમીનાં આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરી આરોપીને ઝડપી પાડયો હતો અને પૂછપરછ કરતા અગાઉ શ્રવણકુમાર કુશવાહને ગાંજાનો જથ્થો બીજા સહ આરોપી પાસેથી લાવીને આપેલો હતો અને આ ગાંજા સાથે શ્રવણકુમાર કુશવાહ પકડાઈ જતા પોતાની ધરપકડથી બચવા નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત આ આરોપી વિરૂધ્ધ કરજણ પોલીસ મથકે પણ NDOSનો ગુન્હો નોંધાયેલ છે જે આરોપીની ધરપકડ કરી કડોદરા પોલીસને સોંપતા આગળની કાર્યવાહી પલસાણા પોલીસે હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application