Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોમર્સનાં વિધાર્થીએ નાપાસ થવાના ડરથી આપઘાત કર્યો

  • June 17, 2022 

સુરતનાં ભટારમાં રાતના સમયે કોમર્સનાં વિધાર્થીએ નાપાસ થવાના ડરથી કાપડ વેપારીનાં પુત્રએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, ભટાર સ્થિત ક્રિષ્ણા કોમ્પલેક્સમાં રહેતો 18 વર્ષીય મનન મુકેશભાઈ ઓરડીયા દરમિયાન બુધવારનાં રોજ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ ગયો હતો. ત્યારે તેના પરિવારના સભ્યોની નજર તેના પર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.



જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જોકે પોલીસે જણાવ્યું હતું કે, મનન પીપલોદ ખાતેની શાળામાં સીબીએસઇમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. જોકે તેને નાપાસ થવાના ડરથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. જયારે મનન મુળ રાજસ્થાના ઉદયપુરનો વતની હતો. તેના પિતા રીંગરોડની એસટીએમ માર્કેટમાં કાપડ દુકાન ધરાવે છે. તેનો બીજો એક ભાઇ છે. જયારે  તેના મોતને લીધે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application