Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : રૂપિયાની લેતી દેતી બાબતે માનસિક તણાવમાં રહેતા ઈસમે આપઘાત કર્યો

  • September 12, 2022 

સુરત જિલ્લાનાં કામરેજ ખાતે કેનાલ રોડ પર આવેલ સુવર્ણ ભૂમિ રેસિડેન્સીના મકાન નંબર-140માં રહેતા તુલસીભાઈ જીવણભાઇ પોશીયા (મૂળ રહે.અમરેલી જિલ્લાનાં, ઉ.વ.38) હીરાની દલાલી કરતા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસથી હીરાનાં રૂપિયાની લેતી દેતી બાબતે માનસિક તણાવમાં રહેતા હતા. જેથી ગત શનિવારનાં રોજ મોડી સાંજે કામરેજ ગામની સીમમાં સૂકાભાઈ ભીખાભાઇ રાઠોડનાં ખેતરના શેઢા પરના આંબાના વૃક્ષ સાથે લટકેલી હાલતમાં તુલસીભાઈની લાશ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application