Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં બારતાડ ગામે પ્રેમી પંખીડાનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત, ઘટના અંગે પથકમાં ચકચાર મચી

  • November 21, 2022 

સુરતનાં મહુવા તાલુકાનાં બારતાડ ગામે પ્રેમી પંખીડાએ ગૌચરની જમીનમાં આવેલ બાવળનાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાનાં કરચેલીયા ગામે કોળી વાડ ફળિયામાં રહેતી 44 વર્ષીય પરણીતા લીનાબેન ચંદ્રકાન્તભાઈ પટેલને ફળિયામાં જ રહેતા 20 વર્ષીય યુવાન આરતીશભાઈ મોહનભાઈ પટેલ સાથે આંખ મળી ગઈ હતી.



જોકે પોતાનાથી અડધિ ઉંમરના યુવાન સાથે છેલ્લા બે વર્ષથી પરિણીતા પ્રેમ સંબંધ ધરાવતા હતા અને બંને પ્રેમી પંખીડાએ શનિવારનાં રોજ બપોરે 12 વાગ્યાથી 12:15 વાગ્યા દરમિયાન અગમ્ય કારણ સર બારતાડ ગામે ગૌચરની જમીનમાં આવેલ બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી. જયારે બંને પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવવાની વાત વાયુવેગે કરચેલીયા વિસ્તારમાં ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતક પરિણીતાના પતિએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application