Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરનાં પુલવામા હુમલાની ચોથી વરસી પર શહીદોને યાદ કર્યા

  • February 14, 2023 

ચાર વર્ષ પહેલા તા.14 ફેબ્રુઆરીના દિવસે જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો. બપોરે લગભગ 3 વાગ્યે જૈશ-એ-મહોમ્મદના એક આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર CPRFનાં કાફલામાં વિસ્ફોટક લઈને જઈ રહેલા એક વાહનને ટક્કર મારી દીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. તા.14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આ હુમલા બાદ ભારતે તેનો બદલો લેવા માટે સરહદ પાર આતંકવાદી તાલીમ કેમ્પોને નિશાન બનાવ્યા હતા.






ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સે બાલાકોટ પર સર્જિકલ એર સ્ટ્રાઈક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાની ચોથી વરસી પર શહીદોને યાદ કર્યા છે. તેમણે કહ્યું કે, અમે આપણા વીર જવાનોને યાદ કરીએ છીએ જેને અમે આ દિવસે પુલવામા હુમલામા ગુમાવી દીધા હતા. અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી ન શકીએ. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે.





ભાજપના કાર્યકરો અને નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, 'કભી ભૂલેંગે નહીં કભી માફ કરેંગે નહીં'. પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર જવાનોને લાખો સલામ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. ભારત તેમના સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application