Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કંપનીમાં રિએક્ટરની સફાઈ સમયે ગેસ ગૂંગળામણમાં એકનું મોત, એક ઘાયલ

  • January 07, 2024 

ભરૂચ જિલ્લાનાં વાગરાના સાયખા કેમિકલ ઝોન સ્થિત વિઆન કેમઝોન કંપનીમાં પ્રોડક્શન પ્લાન્ટના રિએક્ટરમાં સાફ સફાઈ કરવા ઊતરેલા 20 વર્ષના કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદારને ગેસ લાગતાં તે બેહોશ થઈ જતાં વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષીય સોનુકુમાર ગયાપ્રસાદ યાદવ નિત્યક્રમ અનુસાર શુક્રવારે સાંજે કામ પતાવી કંપનીના રિએક્ટરમાં સાફસફાઈ અર્થે રિએક્ટરમાં ઊતર્યા હતા.



જ્યાં તેમને ગેસ લાગતાં મોત નીપજ્યું હતું. જ્યારે જયદીપભાઈ જયંતીભાઈ રૈયાણી તથા પ્રવીણકુમાર યાદવ કંપનીમાં રિએક્ટરની સાફસફાઈ કરતા હતા. તે દરમિયાન રિએક્ટરમાંથી ગેસની ગંધ લાગતાં પ્રવીણકુમાર બેભાન થઈ ગયા હતા. જયદીપભાઈ રૈયાણીને પણ ગેસની અસર થતાં પ્રથમ તેમને વાગરા રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ એપેક્ષ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application