Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો, દીપડાનાં આંટા ફેરાથી લોકોમાં ચિંતા

  • October 13, 2022 

નવસારીનાં જલાલપોર વિસ્તારમાં ફરતા દીપડાએ એક વાછરડા ઉપર હુમલો કરી મારી નાખ્યું હતું. જયારે નવસારી શહેરનાં જલાલપોર વિસ્તારની વાડીઓમાં કેટલાક દિવસોથી લટાર મારી રહ્યો છે. આજથી 15 દિવસ અગાઉ તો અહીંના એક શખ્સ પોતાના ફાર્મ ઉપર જતા હતા ત્યારે ઓવાઈ ફળિયા નજીક દીપડાને નજરે જોયો અને કેમેરામાં પણ કેદ કર્યો હતો.




જોકે થોડા દિવસ દેખાયો નહીં હવે પુનઃ દીપડો હજુ ફરી રહ્યાંના પ્રમાણ મળ્યાં છે. દીપડાએ એક વાછરડા ઉપર હુમલો કરી તેને મારી નાખ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ દીપડો દેખાયા બાદ વન વિભાગે પાંજરું તો મૂક્યું હતું પણ તેમાં મરઘી મૂકી હતી પણ મરઘી પણ ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું છે. જલાલપોરનો ઓવાઈ વિસ્તારએ નવસારી શહેરનો જ એક ભાગ છે અને માનવ વસ્તી પણ મોટા પ્રમાણમાં રહેતી હોય દીપડાની લટારથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application