Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકામાં બે જુદા-જુદા બનાવમાં બે આધેડે આત્મહત્યા કરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • June 22, 2023 

નવસારીનાં વાંસદા તાલુકાનાં કાંટસવેલ ગામે આધેડે વૃક્ષ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાધો હતો. જ્યારે કુકડા ગામેથી મહુવાસના ગુમ વૃદ્ધની ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, વાંસદાનાં કાટસવેલ ગામનાં પટેલ ફળિયામાં રહેતા અશોકભાઈ કસનભાઈ પટેલ (ઉ.વ.54)એ અગમ્ય કારણસર ગત તા.19મી જૂનનાં રોજ મયુરભાઈ પટેલના ઘર પાસે જમરૂખના વૃક્ષ ઉપર નાયલોન દોરી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. આ અંગેની જાણ વાંસદા પોલીસ મથકે અંકિત અશોકભાઈ પટેલે આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વાંસદા સિનિયર પી.એસ.આઇ. તપાસ કરી રહ્યાં છે.



જ્યારે બીજા બનાવમાં વાંસદાનાં મહુવાસ ગામનાં ફતેસિંગ પોશલીયાભાઈ (ઉ.વ.61) છેલ્લા ઘણાં સમયથી ફેફરાની બિમારી અને મગજની અસ્થિરતાના કારણે ઘરેથી ગત તા.11મી જૂનનાં રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. તેમની લાશ ગત તા.19મી જૂનનાં રોજ કુકડા ગામના ઉપલા ફળિયામાં આવેલી ડુંગરી ઉપરથી ડિકંપોઝ હાલતમાં મળી આવી હતી. જેથી સરપંચે પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબ્જો લઈ આજુબાજુ તપાસ કરતા મહુવાસ ગામની હોવાની જાણ થતા મૃતકના પુત્ર સંદીપ ગામીતે વાંસદા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application