Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગમ્ય કારણસર ઇસમે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું

  • August 01, 2022 

બીલીમોરા ખાતે રહેતાં જીતુભાઇ તુલશીભાઇ પટેલનાઓ તેમની નોકરી પરથી પરત ઘરે આવી અગમ્ય કારણસર પોતાના રૂમમાં જઈને ઘરના છતના લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ ગયેલ હતાં. તેમના પિતા તુલશીભાઇ પટેલ તેમને મળવા ઘરે આવ્યા હતા. ત્યારે તેઓ જીતુભાઇના રૂમ પાસે ગયેલ અને જોયેલ કે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.




જેથી દરવાજો ઠોકી બૂમો પાડેલ પરંતુ જીતુભાઇએ દરવાજો ખોલેલ નહિ એટલે ખાટલા ઉપર ચઢી ભીત પરથી રૂમમાં જોતા જીતુભાઈએ ઘરના છતનાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દેખાયા હતા. જેથી એક છોકરાને ભીત પરથી અંદર ઉતારી દરવાજો ખોલાવડાવી અંદર પ્રવેશી ઓઢળી કાપી જીતુભાઇને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સમાં બીલીમોરા મેંગુશી હોસ્પીટલમાં લઈ ગયેલા જ્યાં ફરજ પરના ડોક્ટર જીતુભાઇને મૃત જાહેર કર્યા હતા.




જીતુભાઈએ અગમ્ય કારણસર અવિચારી પગલું ભરી લઈ આપઘાત કરી લેતા તેમના પત્ની અને બે સંતાનોના માથેથી પિતાનું છત્ર છીનવાઈ ગયું છે. આ ઘટના અંગે મૃતક જીતુભાઇના પિતા તુલસીભાઈ પટેલે બીલીમોરા પોલીસને આ બનાવની જાણકારી આપી હતી. બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application