Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : અગમ્ય કારણસર યુવકે નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી

  • September 03, 2022 

વિજલપોરનાં સોનવાડી ગામ માંથી પસાર થતી અંબિકા નદીનાં પુલ ઉપરથી નીચે ઉતરી પાણીમાં મોતની છલાંગ લગાવનાર 30 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. છેલ્લા બાર કલાકથી ગણદેવી ફાયરની ટીમ યુવકનાં લાશની શોધખોળ કરી રહી હતી. ત્યારે ગતરોજ સાંજે લાશ મળતા પરિવારને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિજલપોર ખાતે આવેલા સાંઈ ચેમ્બર્સ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય પ્રવીણ પટેલને પરિવારમાં એક પત્ની અને બે બાળકો છે જોકે આ યુવક નવસારીનાં રૂબી કોમ્પલેસ ખાતે ડાયમંડ ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે સોનવાડી પુલ આવીને પોતના તે દરમિયાન અગમ્ય કારણોસર સોનવાડી પાસે આવેલી અંબિકા નદી પાસેના બ્રિજ પર પહોંચીને બાઈક મોબાઈલ તથા અન્ય સામગ્રી બાઇકમાં મૂકી નીચે ઉતરીને છલાંગ લગાવી હતી.




ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર 12 કલાકની જહેમત બાદ યુવકની લાશ શોધી કાઢતા બહાર કાઢી હતી. ત્યારબાદ યુવકની ઓળખ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી. જયારે યુવકનાં આપઘાતને લઈને કોઈ ચોક્કસ જાણકારી પરિવારને પણ ન મળતા હાલ ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application