Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામમાં રહેતા અને તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • December 26, 2023 

નવસારીનાં ખેરગામનાં બાવળી ફળિયા ખાતે રહેતા વિપીનચંદ્ર કરશનભાઇ પટેલ (ઉવ.51)નાંએ વાવ ફાટક પાસે આવેલી તેમની આંબાવાડીમાં ઝાડ ઉપર નાયલોન દોરી વડે ફાંસો લટકાવી આપઘાત કરી લેતા સમગ્ર ખેરગામ વિભાગમાં સનસનાટી મચી ગઇ હતી. આ મામલે તેમના સંબંધી સશીનભાઈ ઘેલાભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશનું પીએમ કરાવી આગળની તપાસ એ.એસ.આઈ. હાથ ધરી છે. મરનાર વિપીનચંદ્ર ખેરગામ તાલુકાના ગામોમાં વર્ષોથી તલાટી કમ મંત્રી તરીકે સેવા આપતા હતા. હાલમાં તેઓ ચીખલીના ઢોલુમ્બર ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application