Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીજા માળેથી નીચે પટકાતા સારવાર દરમિયાન કડીયાનું મોત

  • October 18, 2022 

નવસારીનાં વિજલપોરની આર્શીવાદ સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ સોનારામ પ્રજાપતિ (ઉ.વ.50) નાઓ ગત શનિવારનાં રોજ પલસાણા ખાતે આવેલ શાંતાબાઈ પ્રાથમિક શાળામાં બાંધકામમાં કડિયા કામ માટે આવ્યા હતા. તે દરમિયાન સાઈટનાં બીજા માળે કામ કરતી સમયે એકાએક નીચે પટકાતા ઓમપ્રકાશને પ્રાથમિક સારવાર નવસારીની શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે નવસારી મજુરા ગેટ ખાતેની સિડ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ગત તા.16 ઓક્ટોબરનાં રોજ મોડી સાંજે 5 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application