Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસ્મા ગામનાં ભુરીયા ફળિયામાં વીજ કરંટ લાગતા ભેંસનું ઘટના સ્થળે મોત

  • July 15, 2023 

નવસારીનાં વેસ્મા ગામનાં ભુરીયા ફળિયામાં આવેલા ખોડીયાર માતાના મંદિરની સામે ટ્રાન્સફોર્મર નજીક વીજ કરંટ લાગતા ભેંસનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના બાબતે પોલીસ અને જી.ઈ.બી.ને પણ જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ, વેસ્મા અરડી ફળિયામાં રહેતા પ્રવિણભાઈ છનાભાઈ પટેલ પોતાની ભેંસો લઇ પરત ઘરે આવી રહ્યાં હતા. તે સમયે ભુરીયા ફળિયામાં આવેલ ખોડીયાર માતાનાં મંદિરની સામે ટ્રાન્સફોર્મર નજીક વીજ થાંભલા જોડે અડી જતા અચાનક એક ભેંસને કરંટ લાગતા મોત નિપજ્યું હતું.



બનાવની જાણ વિદ્યુત વિભાગને થતા વિદ્યુત બોર્ડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યારે ભેંસનું મોત થતા પશુપાલકને નુકસાન પહોંચ્યું છે, ટ્રાન્સફોર્મર નજીક સોસાયટીનાં લોકોનાં બેસવા માટે ચબૂતરો પણ બનાવ્યો છે ત્યા અવારનવાર લોકો સાંજના સમયે આવીને બેસતા હોય છે. મહત્વની વાત એ છે કે, ટ્રાન્સફોર્મરની બાજુમાં કોઈપણ જાતનું પ્રોટેક્શન કરવા આવ્યું ન હતું જયારે અહીં વહેલી તકે ટ્રાન્સફોર્મરની બાજુમાં પ્રોટેક્શન કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ સર્જાતી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application