Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદનાં ધાનપોર ગામે મહારાષ્ટ્ર ડેપોની એસ.ટી. બસ પલટી મારતાં બસમાં સવાર નવ મુસાફરો ઇજાગ્રસ્ત

  • July 30, 2023 

નર્મદાનાં નાંદોદ તાલુકામાં ધાનપોર ગામનાં પાટિયા પાસે મહારાષ્ટ્ર ડેપોની એસ.ટી. બસ પલટી મારતાં અંદર બેઠેલ મુસાફરોને ઇજા થઈ હતી. જોકે અકસ્માત સર્જનાર એસ.ટી.નાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રેખાબેન રાજેન્દ્રભાઇએ રાજપીપળા પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ, તેઓ તથા અન્ય મુસાફરો શીરપુરથી અમદાવાદ વાયા રાજપીપળા થઈને જતી મહારાષ્ટ્ર પરીવહનની શીરપુર-અમદાવાદ બસમાં બેસીને શીરપુર (મહારાષ્ટ્ર)થી નીકળ્યા હતા.



બીજા દિવસે આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ધાનપોર ગામના પાટીયાથી રસેલા ગામની વચ્ચે આવતા વણાંક પાસે બસના ચાલકે પોતાના કબ્જાની બસ પૂરઝડપે હંકારી લાવતા સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. જોકે બસ પલટી ખવડાવતા રેખાબેન સહિત કુલ નવ મુસાફરોને ઇજા થઈ હતી. જયારે રેખાબેનની ફરિયાદનાં આધારે રાજપીપળા પોલીસે બસનાં ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News