Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીજળી પડતા પરણિત મહિલાનું ઘટના સ્થળે મોત

  • June 14, 2022 

સાગબારાનાં સીમામલી ગામે એક મહિલાનું વીજળી પડવાથી મોત થયું હતું. જયારે આ ઘટનાની હજુ ઘટના તાજી છે તેવામાં સોમવારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામે રહેતી એક પરિણીતા ખેતરમાં કામ કરતા અચાનક વીજળી પડતા ઘટના સ્થળેજ તેનું મોત થયું હતું.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં ખુશાલપુરા ગામમાં રહેતા પારુલબેનના પતિ ભગવાન દાસ ભીલ, સસરા બાલુભાઈ અને તમામ પરિવારજનો તલનું વાવેતર ખેતરમાં કર્યું હતું જેને ખંખેરતાં હતા. તે સમયે અચાનક વીજળી પડી હતી અને વીજળી પડવાના કારણે પારુલબેન ભગદાસ ભીલનું ઘટના સ્થળ પર સખત દાઝી જવાથી મોત થયું હતું. જોકે તેની સાથે તેના નણંદ પણ દાઝી ગયા હોય જોકે તેઓ સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હોવની માહિતી મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application