Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરીની આવક વધી અને ભાવ પણ વધ્યા છતાં ક્વોલિટી નબળી

  • June 03, 2022 

કેરીના મોર બેસવાની સીઝનમાં ઠંડક અને ગરમી વચ્ચેનો 20 ડિગ્રીનો ગાળો આવી જતાં પાક માટે આબોહવા અનુકૂળ ન રહેતા કેરીનો પાક 60 ટકાથી પણ વધુ એટલે કે અંદાજે 30 ટકાની આસપાસ આવ્યા પછી મોડે મોડે 25 મે પછીનાં સાત દિવસમાં કેરીની એક લાખ પેટીની આવક તો થઈ છે, પરંતુ કેરીની ક્વોલિટી નબળી છે. તેમજ ઇથિલિની ગરમીથી કેરી પકવવામાં આવતી હોવાથી કેરી પર ડાઘ પડી જતાં હોવાની અને 48 થી 60 કલાકમાં જ સડી જતી હોવાની ફરિયાદો વધી રહી છે.




જોકે અત્યારે રોજના 15 હજારથી 18 હજારથી બોક્સની આવક છે, આ આવક હજીય વધી શકે છે. આવક વધ્યા પછી કેરીના ભાવ નીચા જવાની લોકોની આશા ઠગારી સાબિત થઈ છે. તેની સામે ક્વોલિટી ફળના ભાવ વધ્યા છે, પરંતુ ક્વોલિટી અપેક્ષા કરતાં ઘણી જ નબળી છે. કૃષિ વિજ્ઞાની સી.કે. ટિમ્બડિયાનું કહેવું છે કે, તે કેરીના મોર આવવાની મોસમમાં આબોહવામાં એટલે કે એક જ દિવસમાં ઠંડી અને ગરમી વચ્ચે 20 ડિગ્રીથી વધુનો ગાળો જોવા મળ્યો હોવાથી મોર ખરી પડયા છે.



તેની અસર હેઠળ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માંડ 25 ટકા કેરી થઈ છે. વલસાડ એપીએમસીના સેક્રેટરી જયેશપટેલનું કહેવું છે કે, દક્ષિણ ગુજરાતની આફુસ અને કેસર વખણાય છે. પરંતુ આફુસનો પાક માંડ 10 થી 15 ટકા અને કેસરનો પાક માંડ 25 ટકા જેટલો જ થયો છે. મોર આવવાની ઋતુમાં મોસમમાં અનિશ્ચિતતા વધી હોવાથી પાક ઓછો ઉતર્યો છે. સામાન્ય સંજોગમાં અત્યારના દિવસોમાં રોજના 25000 થી ૩૦૦૦ ટન રોજનો માલઆવતો હોય છે.



તેની સામે આ વરસે માંત્ર 250 થી 500 ટન સુધીનો માલ જ મંડળીઓમાં આવી રહ્યો છે. આ આવક ઓછી થવાનું કારણ આપતા તેઓ કહે છે કે, એપીએમસીની બહાર કેરી વેચવાની ખેડૂતોન છૂટ મળી ગઈ હોવાથી કૃષિ ઉપજ સહકરી મંડળી-એપીએમસીમાં માલ વેચવાઆવનારાઓની ભીડ બહુ જ ઓછી થઈ ગઈ છે. તેથી રોજની માંડ 250થી 300 બોક્સની જ આવક થાય છે. તેથી જ કેરીની સીઝનના છેલ્લા દિવસોમાં સપ્લાય વધી રહ્યો હોવા છતાંય કેરીને દસ કિલો બોક્સના ભાવ રૂપિયા 1100થી 1250 કે 1400 જેટલા ઊંચા બોલાઈ રહ્યા છે.



જયારે ગીરની કેસર કેરીના આવક પંદરેક દિવસમાં અટકી જવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં ફળમાખીના ડંખ લાગવાને કારણે કેરી ઘણી જ ખરાબ થઈ ગઈ છે. તેને કારણે 70 ટકા પાક ઓછો થઈ ગયો છે. કેરીની વાડી ધરાવતા કેતન પટેલનું કહેવું છે કે, ફળમાખી ડંખ મારીને તેના ઇંડા કેરીની અંદર મૂકી દે છે. 20 દિવસમાં આ કેરી પીળી પડીને ખરી પડે છે.




આ કેરી ખાવા માટે કાપવામાં આવે ત્યારે તેમાંઇયળ જેવી જીવાત જોવા મળે છે. ફળમાખી બીજા ચીકુ, તરબૂચ, શક્કર ટેટી ઉપરાંત શાકભાજીને પણ ખરાબ કરતાં હોવાનું જોવા મળે છે. આ ફળમાખીને નાબૂદ કરવા માટે કે તેની ખરાબ અસરથી પાકને બચાવવા માટે પોતાના જ ખેતરમાં દવાનો છંટકાવ કરવાથી કામ થતું નથી. આસપાસના બધાં જ ખેતરોમાં ફળમાખીનો ઉપદ્રવ રોકવા માટે દવાનો છંટકાવ કરવામાં આવે તો જ તેની અસર જોવા મળે છે.




ગણદેવી, સોનવાડી, અમલસાડ અને પાલેજ વિસ્તારમાં કેરીનો પાક ઘણો જ ઓછો થયો છે. ગીર વિસ્તાર ઉપરાંત વલસાડ અને તલાળા યાર્ડમાં કેરીઓ આવી હોવા છતાંય ભાવ ઘટવાનું નામ લેતા નથી. તેથી ઘણાં ગ્રાહકોને કેરી ખાવાનું ટાળવાનું પસંદ કર્યું છે. બીજી તરફ રાજકોટના નવાગામ, ગોંડલ, જેવા વિસ્તારોમાં કાચી કેરીને ઇથિલિન ગેસથી પકડતા હોવાથી કેરીઓ બહુ જ ઝડપથી સડી જાય છે. 60 કલાકમાં જ પીળી પડી ચીમળાઈ જાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application