Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેવમોગરા ખાતે મહાશિવર રાત્રીનો મેળો ભરાશે : મેળામાં ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ માંથી લાખો શ્રદ્ધાળુઓ આવશે

  • February 17, 2023 

આદિવાસી સમાજની અન્નપૂર્ણા સમા કુળદેવી યાહા મોગી પાંડોરી માતાનાં ભવ્ય મંદિરે દેવમોગરા ખાતે મહાશિવર રાત્રીનો મેળો ભરાય છે. પાંચ દિવસ મેળો ચાલે છે અને ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ માંથી લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવશે. જેને લઈને વહીવટી તંત્ર એકદમ સજ્જ બન્યું છે. નર્મદા જિલ્લા કલેક્ટરે વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી છે, જયારે જિલ્લા પોલીસ આધિક્ષક દ્વારા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.





મહાશિવરાત્રિ વચ્ચે યોજાતા ભવ્ય મેળામાં શિવની નહિ શક્તિની પૂજા થાય છે. દેવમોગરાનાં લોક મેળામાં આદિવાસીઓનાં સંસ્કૃતિનાં અનોખા દર્શન જોવા મળે છે. પાંડોરી માતાને નૈવેધમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલા પાક/ધાન્ય અર્પણ કરીને પ્રસાદરૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે જે બારેમાસ તેઓ ખાય છે ક્યારેય ખૂટતું નથી. મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application