Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેરાવળમાં તબીબે પોતાની હોસ્પિટલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પથકમાં ચકચાર મચી

  • February 13, 2023 

ગીર સોમનાથનાં વેરાવળમાં એક તબીબે પોતાની જ હોસ્પિટલમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી પોતાની જ હોસ્પિટલમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતાં પહેલાં તેમણે એક ચીઠ્ઠી લખી હતી. જેમાં બે નામ લખ્યાં છે.



આ ચીઠ્ઠીમાં એવું લખેલું છે કે, હું નારણભાઈ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરુ છું. જોકે પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે સમગ્ર પંથકમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, કોઈ મોટી નાણાંકિય લેવડ દેવડના કારણે ચિંતામાં હોવાથી તેમણે આ પગલુ ભર્યું હોઈ શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News