Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

heart attack : ચા-નાસ્તો કર્યા બાદ અચાનક તબિયત બગડતા યુવાનનું મોત

  • April 29, 2023 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના અચાનક અને હાર્ટ એટેકના લીધે મોત થવાની ઘટનાઓ ચિંતા વધારી રહી છે. તેવા સમયે હજીરા ખાતે આજે સવારે એક યુવાનને ચા-નાસ્તો કર્યા બાદ અચાનક તબિયત બગડતા તેનુ મોત નીપજ્યું હતું.  પરિવારે હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની શકયતા દર્શાવી હતી.



નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે ભટલાઈ ગામ ખાતે રહેતો ૩૨ વર્ષીય સોનુકુમાર રામઆધાર સીંગ આજે શુક્રવારે સવારે ઘરે ચા- નાસ્તો કર્યા બાદ બેઠેલો હતો. દરમિયાન તેની અચાનક જ તબીયત ખરાબ થઇ હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ હતી. જેથી  નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.  પરિવારજનોએ તેને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની શકયતા દર્શાવી હતી.


સિવિલમાં સોનુકુમારનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોક્ટરોએ કહ્યુ કે તેને હૃદય રોગનો હુમલો થયો હોવાની શકયતા છે પણ  વિવિધ સેમ્પલના રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે. એટલુંજ નહીં સોનુકુમારના આગામી મેં મહિના બીજા અઠવાડીયામાં લગ્ન થવાના હતા. અને આગામી ૫મી મેના રોજ તે પોતાના વતન બિહારના સિંવાગ ખાતે જવાનો હતો.  તેના આકસ્મીક મોત થી પરિવારમાં ગમગીની છવાઇ હતી. તેના બે ભાઇ છે. તે હજીરા ખાતે કંપનીમાં નોકરી કરતો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application