Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડાની અદાવત રાખી પિતા પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ

  • August 01, 2022 

ગાંધીનગરનાં સોનારડા તાલુકાનાં ખેડૂતને ઘરે આવીને મારી નાખવાની ધમકી મળતાં પોલીસે ફરિયાદ થઈ હતી. બનાવની વિગત એવી છે કે, સોનરાડ રબારીવાસમાં રહેતાં રામજીભાઈ ભીખાભાઈ રબારીએ (ઉ.વ.50)નાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો મોટો દિકરો વહેલાલ ખાતે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમજ રામજીભાઈ ઘરે હતા ત્યારે ઘર આગળ બે-ત્રણ ગાડીઓ આવીને ઉભી રહી હતી.




જેમાં બીલાસીયાનો રાજન દિનેશભાઈ વાઘેલા અને બીજા ત્રણ શખ્સો નીચે ઉતર્યા હતા અને ‘તમારા દિકરાએ મારી સાથે ઝઘડો કર્યો છે’ કહીં તેઓ ગાળાગાળી કરીને મારવા માટે આવ્યા હતા. રામજીભાઈએ દિકરો ઝઘડામાં ન હોવાનું સમજાવ્યાં છતાં આવેલા શખ્સો તેને ઢીકામુકિનો મારમારવા લાગ્યા હતા. તેમજ બુમાબુમ થતાં રામજીભાઈના કુંટુબના લોકો અને આસપાસનાં લોકો ભેગા થઈ જતાં આવેલા શખ્સો ગાડી મુકીને ભાગી ગયા હતા. જોકે જતાં જતાં ફરી વાર હાથમાં આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપતાં ગયા હતા. જેને પગલે સમગ્ર ઘટના અંગે રામજીભાઈએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application