Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ મકાનમાંથી રૂપિયા 3.86 લાખની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • October 11, 2022 

ગાંધીનગર શહેરનાં ઉવારસદમાં આવેલી ટીપી-9 વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 3.86 લાખની મત્તા ચોરીને પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ થતા ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, શહેર નજીક આવેલા ઉવારસદની ટીપી-9 વિસ્તારમાં પ્રમુખ એલીજીયમ વસાહતમાં મકાન નં.301માં રહેતા અનસુયાબેન ભગવાનભાઇ ગજ્જર ગત બે ઓક્ટોબરે તેમનું મકાન બંધ કરીને તેમના વતન સુરેન્દ્રનગર ખાતે ગયા હતા.




તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દિધું હતું. દરવાજાનો નકૂચો તોડીને બે કબાટમાંથી સોના-ચાંદીનાં દાગીના તથા 25 હજારની રોકડ મળીને તસ્કરો 3.86 લાખની મત્તા ચોરીને પલાયન થઇ ગયા હતા. જોકે સવારના સમયે મકાન માલિક ઘરે પહોંચ્યા ત્યારે મકાનમાં ચોરી થઇ હોવાનો અંદાજ આવી ગયો હતો જેથી આ મામલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને શોધી પાડવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application