ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઇવે ઉપર તારાપુર પાસે સવસ રોડની બાજુમાં આજે સવારના સમયે એક નવજાત બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકીને વાલી વારસો ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ આ મામલે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા આ બાળકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બનાવ અંગે સેકટર-7 પોલીસ ગુનો દાખલ કરીને બાળકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર સરગાસણ ગામની સીમમાં તારાપુર સવસ રોડની બાજુમાં સવારના સમયે પ્લાસ્ટિકની બેગમાં નવજાત બાળકને ત્યજીને તેના વાલી વારસો ફરાર થઈ ગયા હતા. જોકે નજીકમાં કામ કરતા ખેડૂતને બાળકના રડવાનો અવાજ આવતા તપાસ કરતાં પ્લાસ્ટિકની બેગમાં બાળક મળી આવ્યું હતું. જેથી તુરત જ આ મામલે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી અને બાળકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવતા ગુનો દાખલ કરીને બાળકના વાલી વારસોની શોધખોળ પણ શરૂ કરી છે. જયારે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની સાથે નર્સિંગ હોમમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી જેના વાલીવારસોને પણ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application