Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત, પોલીસે કાર્યવાહી હાથ ધરી

  • September 14, 2022 

ગાંધીનગર માણસા તાલુકાનાં લોદરા ગામે રહેતા એક વૃદ્ધ બે દિવસ અગાઉ ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા. જોકે તેમના પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પતો લાગ્યો ન હતો. ત્યારબાદ સોમવારે સાંજે લોદરા ગામનાં તળાવમાં કોઈ વ્યક્તિની લાશ દેખાતા માણસા ફાયર બ્રિગેડને જાણ કરાવવામાં આવતા તેમણે આવી મૃતદેહને બહાર લાવી તપાસ કરતા મરણ જનાર ગુમ થયેલા વૃદ્ધ હોવાનું સામે આવે આવતા તેમના પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસાનાં લોદરા ગામે રહેતા 70 વર્ષીય રાઠોડ બેચરજી જવાનજી બે દિવસ અગાઉ ઘર પરિવારના સભ્યોને કંઈ પણ કહ્યા સિવાય પોતાની મરજીથી ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા અને રાત્રે પણ ઘરે પરત ન આવતા પરિવારજનોએ ગામમાં તથા સગા સંબંધીઓના ત્યાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો ક્યાં પત્તો લાગ્યો ન હતો.




જોકે સોમવારનાં સાંજે લોદરા ગામના તળાવમાં કોઈ વ્યક્તિની લાશ દેખાતી હોવાની ગ્રામજનોને જાણ થતા તેમણે તાત્કાલિક માણસા પોલીસને માહિતી આપી માણસા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે લોદરા ગામનાં તળાવ પાસે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર લાવ્યા હતા અને મરણ જનારની ઓળખ બે દિવસ અગાઉ ગુમ થયેલા રાઠોડ બેચરજી જવાનજી હોવાનું માલુમ પડતા તેમના પરિવારજનોને તેમજ માણસા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application