Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંદબુદ્ધિની સગીરાને મંદિરમાં કામ કરતા નરાધમે ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

  • July 22, 2022 

ગાંધીનગરનાં એક મંદિરમાં કચરા પોતું કરતી ભાભી સાથે ગયેલી 15 વર્ષની મંદબુદ્ધિની સગીરાને મંદિરમાં કામ કરતા જયંતિ ઠાકોર નામનાં નરાધમે ચોકલેટની લાલચ આપી એક્ટિવા પર બેસાડી નજીકમાં આવેલા 3 માળીયાનાં બંધ મકાનમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈ સેક્ટર-21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરનાં એક વિસ્તારમાં રહેતી વિધવાને સંતાનોમાં પાંચ દીકરી અને એક દિકરો છે. જેમાંથી ત્રણ દીકરીનાં લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે દીકરો તેના પરિવાર સાથે નજીકનાં વિસ્તારમાં રહે છે. જ્યારે વિધવા કચરા પોતા કરીને તેની બે દીકરીઓનું ભરણપોષણ કરે છે. જોકે આ બે દીકરીઓમાંથી એક 15 વર્ષની દીકરી માનસિક રીતે અસ્થિર છે. જ્યારે નજીકમાં રહેતા દીકરાની વહુ એક મંદિરમાં કચરા પોતા કરવા જાય છે.




જેની સાથે અસ્થિર મગજની સગીરા પણ જતી આવતી હતી. એ જ રીતે બે દિવસ પહેલા પણ સગીરા તેની ભાભી સાથે મંદિરે ગઈ હતી. તે વખતે અહીં કામ કરતો જયંતિ ઠાકોર ચોકલેટ આપવાની લાલચ આપી તેણીને એક્ટિવા પર બેસાડીને નજીકમાં આવેલા ત્રણ માળીયાના અવાવરુ બંધ મકાનમાં લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાને નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ આચરી પાછો મંદિર લઈ આવ્યો હતો અને મોડી રાતનાં અગિયાર વાગે પુત્ર વધૂ સગીરાને લઈને ઘરે પરત આવી હતી.




ત્યારે સગીરા ઘણી ગભરાયેલ હતી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી રહી હતી. બીજા દિવસે પણ સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ કરતાં પરિવારજનોએ પૂછપાછ કરી હતી. ત્યારે જઇને સગીરાએ જયંતિ ઠાકોરનાં કરતૂતની જાણ કરી હતી. બનાવ અંગે સેક્ટર-21 પોલીસ મથકમાં વિધવાએ ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને જયંતિ ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application