Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Investigation : બસમાં બેસવા જતા વૃદ્ધાનાં થેલા માંથી રૂપિયા 8.10 લાખના દાગીનાની ચોરી, પોલીસ તપાસ શરૂ

  • August 12, 2022 

ગાંધીનગર શહેરમાં આવેલ ST ડેપોમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહી છે ત્યારે હિંમતનગર જવા માટે વિજાપુરની બસમાં બેસવા જતા વૃદ્ધાનાં થેલા માંથી રૂપિયા 8.10 લાખના સોનાના દાગીના ચોરીને અજાણ્યા તસ્કરો નાસી છૂટ્યા હતા. બનાવ અંગે સેક્ટર-7 ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરનાં સેક્ટર-24માં આવેલ પાઠયપુસ્તક મંડળ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા મહેન્દ્રભાઈ નરસિંહભાઈ સુથાર અને તેમની પત્ની મધુબેન રક્ષાબંધનનાં તહેવાર નિમિત્તે હિંમતનગર જવા માટે નીકળ્યા હતા.




તે સમયે મધુબેનનાં થેલામાં રૂપિયા 8.10 લાખના દાગીના હતા જયારે તહેવારનાં નિમિત્તે ડેપોમાં ભીડ ખૂબ હોવાથી તેમણે વિજાપુર થઈ હિંમતનગર જવાનું નક્કી કર્યું હતું અને પ્લેટફોર્મ નંબર-10થી વિજાપુરની બસમાં બેઠા હતા તે સમયે મધુબહેને તેમનું પર્સ તપાસતા તેની ચેઈન ખુલ્લી હતી જેથી અંદર જોતા રૂપિયા 8.10 લાખના દાગીના જણાયા ન હતા. જેથી આ મામલે તુરંત જ બસના ડ્રાઇવર અને કંડકટરને જાણ કરવામાં આવી હતી. બસમાં તપાસ પણ કરાવી હતી પરંતુ ગઠિયાનો કોઈ પતો લાગ્યો ન હતો. બનાવ અંગે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા પસ્કારોની શોધખોળ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application