Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રાથમિક શાળાનાં આચાર્યનું વીજ કરંટ લાગતાં મોત

  • July 06, 2022 

ગાંધીનગરનાં દહેગામ તાલુકાનાં પહાડભાઈની મુવાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગર તાલુકાનાં લવારપુર ગામના વતની એવા શિક્ષકનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જયારે આચાર્ય શિક્ષક પોતાના વતનમાં મકાનનું રીનોવેશન કામ ચાલતું હોઈ છત પર પાણી છાંટતા હતા ત્યારે કરંટ લાગતા મોત નીપજ્યું હતું.




જોકે આચાર્યનાં મોતના પગલે શિક્ષક આલમમાં શોકની લાગણી ફેલાઈ છે. ગાંધીનગરનાં દહેગામ તાલુકામાં આવેલી પહાડભાઈની મુવાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામના વતની પટેલ ગોવિંદભાઈ હરિભાઈ પોતાના મકાનનું રીનોવેશન કામ ચાલતું હોય મકાનની છત પર  પાણી છાંટી રહ્યા હતા.




તે સમયે એકા એક કરંટ લાગતા ગોવિંદભાઈનું મોત નિપજ્યું હતું. યુવાન આચાર્ય એવા ગોવિંદભાઈ પટેલનું કરંટ લાગવાથી મોત નીપજતાં શિક્ષક આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જયારે વતન લવારપુરમાં આચાર્ય શિક્ષકનાં મોતના પગલે પરીવાર સહિત સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News