સુરત જીલ્લાનાં ઉમરપાડાના દિવતણ ગામે પાણીનો વાલ્વ બંધ કરવાની નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક ભાઈ પર પાવડા વડે હુમલો કરનાર ભાઈ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉમરપાડાના દિવતણ ગામે પટેલ ફળિયામાં રહેતા ગંભીરભાઈ ઉબડિયાભાઈ વસાવા પત્ની સાથે ખેતરમાં પાણી છોડી રહ્યા હતા. તે દરમિયાન તેમના ભાઈ ધનજીભાઈ ઉબડિયાભાઈ વસાવાએ પાણીનો વાલ્વ બંધ કરી તેમના ખેતરમાં પાણી છોડવા લાગ્યા હતા. ત્યારે ગંભીરભાઇએ આ મામલે તેમના ભાઈ ધનજીભાઈને કહેતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા ને ગાળો બોલી પાવડો ગંભીરભાઈના માથાના ભાગે મારી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગંભીરભાઈએ ઉમરપાડા પોલીસ મથકે ધનજીભાઈ ઉબડિયાભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application