Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવનાં મંદિરમાં હિમવર્ષાનો સુંદર શણગાર કરાયો

  • December 29, 2024 

સાળંગપુરધામમાં કષ્ટભંજન મહાદેવ હનુમાનજી મંદિરમાં જુદી-જુદી થીમ દ્વારા કષ્ટભંજન દેવનું સુંદર સુશોભન કરવામાં આવે છે. ત્યારે શનિવારે કષ્ટભંજન દેવને હિમવર્ષાની ઝાંખી કરવામાં આવી હતી. શનિવારે સાળંગપુરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે, ત્યારે ભક્તો આ અદ્ભૂત થીમ સાથે કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જયારે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તેમજ 7:00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે કષ્ટભંજન દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ સિવાય મંદિર પરિસરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, 16 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી મંદિરના પટાંગણની યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં સવારે 7થી 12 અને સાંજ 3થી 6 વાગ્યે પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવે છે. હજારો ભક્તો અહીં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application