ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા કમૌસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓને મોજ પડી હતી. મળતી માહિતી મુજબ, ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બુધવારે સાંજે 4 વાગ્યાનાં અરસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ જતા શીત લહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારા સહિત માલેગામ, જોગબારી, બરડપાની, બરમ્યાવડ, ગોટીયામાળ, સામગહન વિસ્તારમાં તૂટી પડેલા ઝોરદાર ઝાપટાથી માર્ગો સહિત ખેતરો ભીંજાઈ જતા શીત લહેર વ્યાપી જવા પામી હતી.
જયારે કમૌસમી વરસાદને પગલે ડાંગ જિલ્લામાં શિયાળુ સ્ટ્રોબેરી, ટમેટા, ડુંગળી, ઘઉં, જેવા પાકોને નુકશાન થવાની નોબત ઉભી થવા પામી હતી. તેમજ વેલાં વાળા શાકભાજીમાં જીવાત પડવાની શક્યતા ને પગલે ખેડુતોને જીવજંતુ નાશક દવાઓના ખર્ચ માટે આર્થિક બોજો પડવાની નોબત ઉભી થવા પામી હતી. સતત 10 મિનિટ સુધી ખાબકેલા કમૌસમી વરસાદ 5 મિમી નોંધાયો હતો. વરસાદ બાદ ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ સાથે આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓએ ભરપૂર મજા માણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application