Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીપડાએ ઘરનાં આંગણામાં ત્રણ બકરાઓનું મારણ કરતા ભયનો માહોલ સર્જાયો

  • September 26, 2022 

વઘઇમાં ખુંખાર દીપડાએ ઘરનાં આંગણામાં ત્રણ બકરાઓનું મારણ કરતા વઘઇ નગરમાં ભયનો માહોલ સર્જાયો  હતો. બનાવની વિગત એવી છે કે, ડાંગ જિલ્લામાં અવર-નવર દિપડાઓ આંતક મચાવતા હોય છે ત્યારે જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇનાં રહેણાંક વિસ્તાર એવા સિંગલ ફળીયામાં ખુંખાર દીપડાએ આંતક મચાવતા હતો.




જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો દિપડાએ ઘરનાં આંગણામાં મોડી રાત્રીનાં સમયે ત્રણ બકરાઓનું મારણ કરતા ફળિયાનાં લોકોમાં હાલ ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે. જોકે બનાવ અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application