સુરત જિલ્લાનાં ઓલપાડનાં પરા વિસ્તારનાં દિલદારનગરમાં અઝીઝ રસીદ કુરેશી રહે છે અને તે મજૂરીકામ કરે છે. તેણે ગત રવિવાર ગત તારીખ ૨૯ નાંરોજ સાંજે ૫:૦૦ કલાકના સુમારે ઓલપાડ-સાયણ રોડ ઉપર આવેલ ઝમઝમ ફેક્ટરીની બહાર રોડની બાજુના કોતરડાનાં પાણીમાં આશરે ૪૦થી ૫૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષને મૃત હાલતમાં પડેલો જોયો હતો. જેથી તેણે આ બાબતે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પુરુષની લાશનો કબજો લઈ તેની ઓળખ કરવા અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. પોલીસે હાલ તો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application