Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ભસ્મ આરતી અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

  • February 16, 2023 

અંકલેશ્વરનાં શિવાલયોમાં મહા શિવરાત્રીનાં મહાપર્વ લઈને નિમિતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને શહેરનાં પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ભસ્મ આરતી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના શિવાયલોમાં મહા શિવરાત્રીની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



જેના નામ પરથી અંકલેશ્વરનું નામ પડ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના મહા પર્વ નિમિતે પાલખી યાત્રા, વહેલી સવારે ભસ્મ આરતી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શહેરનાં રત્નેશ્વર, માર્કંડેશ્વર, એકલિંગ નાથ, માંડલેશ્વર, માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને શહેરનાં તમામ શિવાલયો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application