Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ મકાનમાંથી ઘરેણાં અને રોકડ રકમની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • January 17, 2023 

અંકલેશ્વર શહેરનાં કેશવપાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોનાનાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની કેશવપાર્ક સોસાયટીમાં મકાન નંબર-81માં રહેતા કલ્પનાબેન સુનિલભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે વ્યારા ખાતે તેઓના સંબંધીને ત્યાં સગાઇ પ્રસંગમાં ગયા હતા.




તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 40 હજાર તેમજ 1.53 લાખનાં સોનાનાં 30 ગ્રામ ઘરેણાં મળી કુલ રૂપિયા 1.93 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે  કલ્પનાબેન પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application