Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના કાપોદ્રા ગામની મહિલાએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • June 28, 2023 

અંકલેશ્વરના કાપોદ્રા ગામની મહિલાએ રૂમની બહાર આવેલા પતરાના શેડના પાઇપ સાથે ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો. જોકે 31 વર્ષીય પરિણીત મહિલાએ કરેલ આપઘાતના કારણો જાણવા પોલીસે પી.એમ. કરાવી પતિ તેમજ પરિવારની પ્રાથમિક પૂછપરછ આરંભી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના કાપોદ્રા ગામના મંદિર ફળીયા રહેતા યોગેશ વસાવાની 31 વર્ષીય પત્ની ટીના વસાવાએ કોઈ અગમ્ય કારણોસર કાપોદ્રા ગામના ઐયુબ લુલાતની ચાલના ચોથા નંબરની રૂમની બહાર આવેલા પતરાના શેડના પાઇપ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.


જેની જાણ પરિવારજનોએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી પી.એમ કરાવ્યું હતું. જયારે ટીના વસાવાએ કયા કારણસર આ પગલું ભર્યું તેની વિગતો મેળવવા પોલીસે મૃતકના પતિ તેમજ પરિજનોની પૂછપરછ આરંભી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application