Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં ધોળીકુઈ બજારમાં આવેલ મોગલપુરાનાં નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી

  • February 25, 2023 

ભરૂચનાં ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા મોગલપુરાનાં નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી થઈ હતી જેથી દોડધામ મચી હતી. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચનાં ધોળીકુઈ બજારમાં આવેલા મોગલપુરા વિસ્તાર સ્થિત નર્મદા શોપિંગ સેન્ટર જર્જરિત બન્યું છે, જેને કારણે અવારનવાર નાની-મોટી ઘટનાઓને લઇ સ્થાનિકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ અંગે અનેકવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતના નક્કર પગલા નહી ભર્યા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.







જોકે આ વચ્ચે ગતરોજ રાતનાં સમયે નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી થઈ હતી. જેને પગલે દુકાનદારો તેમજ રાહદારીઓમાં નાશભાગ મચી હતી. ઘટના અંગે સ્થાનિકોએ પાલિકા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યાં હતા અને કાટમાળ દુર કરી બેરીકેટ મૂકી દીધા હતા. આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application