Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં જી.આઇ.ડી.સી.માં બંધ મકાનમાં રૂપિયા 8.89 લાખની ચોરી કરી ફરાર થયેલ તસ્કર વિરુદ્ધ ગુનો દાખલ

  • June 20, 2023 

અંકલેશ્વરમાં જી.આઇ.ડી.સી. રુદ્રાક્ષ રેસિડન્સીનાં બંધ મકાનમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો અમેરિકન ડોલર સહિત રૂપિયા 8.89 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. જલધારા ચોકડી પર આવેલા રુદ્રાક્ષ રેસિડેન્સી ખાતે રહેતા રાજેન્દ્ર ગુપ્તા ગત તારીખ 16 મીના રોજ બપોરે 12 કલાકે ઘર બંધ કરી પરિવાર જોડે મુંબઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.


તેમજ મુખ્ય દરવાજાનો લોક તોડી અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે ઘરનાં કબાટોમાં રાખવામાં આવેલાં 16 તોલા સોનાનાં ઘરેણાં, રૂપિયા 14 હજાર રોકડા તથા 2,200 અમેરિકન ડોલર, ટેબલેટ મળી કુલ રૂપિયા 8.89 લાખ ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. જયારે બીજા દિવસે મકાન માલિક ઘરે આવતાં તાળુ તુટેલી હાલતમાં હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application