Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : મકાનમાંથી રૂપિયા 1.93 લાખની ચોરી થતાં અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ

  • October 18, 2022 

ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં કબીર ગામમાં રહેતા ખેડૂતનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી તલ વેચાણમાંથી મળેલ રોકડા રૂપિયા 1.93 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ, મૂળ સુરતનાં અને હાલ નેત્રંગ તાલુકાનાં કબીર ગામમાં રહેતા ચતુરભાઈ પોપટભાઈ વેકરિયા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.




જોકે તેઓ ગત તા.15મી ઓક્ટોબરનાં રોજ રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેમજ અજાણ્યા તસ્કરોએ તેઓનાં મકાનનાં પાછળનાં દરવાજાની જાળી તોડી સ્ટોર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ખેડૂતે તલનાં વેચાણનાં રોકડા રૂપિયા 1.93 લાખની રકમ કબાટમાં મુકેલ હતી અને આ તમામ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ખેડૂતે નેત્રંગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application