Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : યુવકે અગમ્ય કારણસર આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનો લાગણી છવાઈ

  • October 03, 2022 

ભરૂચનાં અંકલેશ્વર નગરનાં પટેલ નગર ખાતે રહેતા એક યુવકે પંખાનાં હુકમાં ફંદો લગાવી જીવન ટુંકાવ્યું હતું. જોકે યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો ગયો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર-રાજપીપળા રોડ પર ગડખોલ ગામની હદમાં પટેલ નગર સોસાયટીનાં મકાન નંબર B-10માં રહેતા ફ્રાન્સિસ ઉક્કડભાઈ વસાવાએ કોઈ ઘરમાં એકલા હતા.




તે સમય દરમિયાન યુવકે અગમ્ય કારણોસર નાયલોન દોરીનો ફંદો બનાવી ઘરના પંખાના હુકમાં ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારનાં સભ્યોને જાણ થતાં તેમણે દોડી આવીને શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ પ્રાથમિક પરિવારનાં સભ્ય વેરોનિકા ચૌહાણની ફરિયાદ આધારે અગમ્ય કારણોસર આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application